Friday, February 3, 2012

30 દિવસમાં તંદુરસ્તી


30 દિવસમાં તંદુરસ્તી'         30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ માટે.

*  ચિંતા કરવી છોડી દો                     - માનસિક શાંતિ હરી લે છે.
*  ઈર્ષા ન કરો                                  -  સમય અને શક્તિનો વ્યય થાય છે
*  તમારી મર્યાદાનો સ્વીકાર કરો       - આપણે બધા જ મહાન નથી બની શકતા.

*  લોકોમાં વિશ્વાસ રાખો                    - તમે વિશ્વનીય હશો તો તેઓ પણ
                                                        એવો જ પ્રતિભાવ આપશે.

*  પુસ્તક વાંચો                                  - તમારી કલ્પના શક્તિ વધશે.
*  સારો શોખ કેળવો                           - તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.
*  થોડો સમય એકાંતમાં ગાળો            - તમારું દુઃખ હળવું થશે.
*  એક  અંતરંગ મિત્ર બનાવો               - જે  તમારા દુઃખમાં સહભાગી થશે.
*  ઈશ્વરમાં શ્રદ્ધા રાખો                 - કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.

*  સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો      - તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.
*  પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો        - તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.
*  વડિલોનો આદર કરો                        - એક  દિવસ તમારો પણ આવશે.
*  ખુશ મિજાજ રહો                              - એને ગુમાવવો મોંઘો પડે છે.
*  પોતાની જાતને ઓળખો                    -  એ  તમારી અંદર છે.
*  સુખની પાછળ દોટ ન મૂકો                - એ  તમારી પાસે જ છે.
*  સમય ન વેડફો                                 - મહામૂલી જણસ છે.
*  અંધકારથી નિરાશ ન થશો                - બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.
*  દરેકને પ્રેમ કરો                                 - તમને બમણો પ્રેમ મળશે.
*  શ્રદ્ધા રાખો                                         -  તમે બધું જ કરી શકો છો.
*  વર્તમાન ક્ષણનો આનંદ મેળવો           - ભૂતકાળ વીતી ગયો છે,  
                                                             ભાવિની ખબર નથી.

*  વ્યવહારુ બનો                                    - સુખનો રાજમાર્ગ છે.
*  ગુસ્સો સંયમિત કરો                             - એ  ભયાનક બને છે.
*  મૃદુભાષી બનો                                    - દુનિયા ઘોંઘાટથી ભરેલી છે .
*  ઊંચું વિચારો                                       - ઉન્નતિના શિખરે લઈ જશે.
*  અથાક પરિશ્રમ કરો                             - મહાન બનવાનો કિમિયો છે.
*  સર્જનાત્મક બનો                                  - મુખાકૃતિ સુંદર લાગશે.
*  હસતા રહો                                          - પડકારનું તકમાં રૂપાંતર થશે.
*  તમારી ભાષા પર કાબૂ રાખો                - તમારા ચારિત્ર્યનું દર્પણ છે.
*  ભય  ન રાખો                                       - ઈશ્વર હંમેશા સાથે જ છે.
*  રોજ ચિંતન કરો                                   - આત્માનો ખોરાક છે.
              
               દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.

No comments:

Post a Comment