Sunday, April 15, 2012

બદામથી બ્લડ સુગર કન્ટ્રોલ થઇ શકશે



જો તમે ડાયાબીટિસથી હેરાન હોવ તો તમારા માટે આ ફ્રેશ સમાચાર રાહત અને ખુશીનું કારણ લઇને આવ્યું છે,
આ ખુશખબર છે દરરોજ પોતાના નાસ્તામાં બદામથી તમારો બ્લડ સુગર કન્ટ્રોલ થઇ શકશે.
અમેરિકાની યુનિવર્સિટી ઑફ મેડિસિન તથા પેનસિલ્વેનિયા યુનિવર્સિટીના શોધ કર્તાઓના મત પ્રમાણે બદામ ખાવાથી હાનિકારક કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે એ સાથે ઇન્સ્યુલિનને પણ સક્રિય કરે છે. આનાથી બ્લડ સુગરનું સ્તર કન્ટ્રોલમાં રહે છે.

એક મુઠ્ઠી બદામમાં 164 કેલરી અને 7 ગ્રામ પ્રોટીન મળે છે. ભારતમાં આ બીમારીથી હેરાન પરેશાન લોકોની સંખ્યા જ્યારે વધતી જાય છે. ત્યારે માત્ર ભારત દેશમાં જ 5 કરોડથી વધારે લોકો આ બીમારીથી પીડાય છે.
બદામ ડાયાબીટિસમાં ફાયદાકારક છે, આ વાત ભલે ને હમણાંની શોધથી માલુમ પડ્યુ હોય પરંતુ તેના બીજા ઘણા ચમત્કારી ગુણોથી આપણા આયુર્વેદમાં તો પહેલા જ આપી દીધું છે. જેમ કે , નબળી યાદ શક્તિ, માનસિક તણાવ, સ્નાયુદૌબર્લ્ય, હાડકાની નબળાઇ, બૌદ્ધિક ક્ષમતાની ઉણપ.. વગેરે ઘણી અઘરી સમસ્યાઓમાં પણ બદામનો પ્રયોગ બહુ જ અકસીર અને લાભદાયી છે.

^^ ^^ ^^
Source: Internet

No comments:

Post a Comment