Showing posts with label ગુજરાતી- Inspiring. Show all posts
Showing posts with label ગુજરાતી- Inspiring. Show all posts

Wednesday, May 9, 2012

પ્રાર્થના




 પ્રાર્થનાએટલે ઇશ્વર સાથેનો વાર્તાલાપ - વાયરલેસનો વ્યવહાર
પ્રાર્થના એટલે ભગવાનને પોતાના બનાવવાનો મીઠૂ ગીત
પ્રાર્થના એટલે આત્માને પરમાત્માને એક કરતું રસાયણ
પ્રાર્થના એટલે સંસાર સાગરમાં ડૂબતા જીવને બચાવવાની નાવડી
પ્રાર્થના એટલે મોક્ષની નીસરણી ભગવાન પાસે જવાની લીફટ
પ્રાર્થના એટલે આધિ, વ્યાધિ ને ઉપાધિના ઘેરા વાદળને વિખેરતો પ્રેમભર્યો પ્રવાહ.

^^ ^^ ^^

હું એટલું શીખ્યો છું…




....કે દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે.

….કે પ્રેમમાં પડો એટલે આંખ અને વર્તન બંને હંમેશા એની ચાડી ખાય છે.

….કે તમે મારો દિવસ સુધારી દીધો એવું મને કહેનાર હકીકતમાં મારો દિવસ સુધારી દે છે.

…..કે આપણા ખોળામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથી શાંત અને ઉમદા લાગણીઓની ક્ષણોમાંની થોડીક ક્ષણો હોય છે.

…..કે દયાળુ અને માયાળુ બનવું તે ખરાબ બનવા કરતા વધારે સારું છે.

….કે બાળકની કોઈ પણ ભેટનો અસ્વીકાર ન કરવો જોઈએ.

…..કે કોઈને મદદ કરવાની શક્તિ મારામાં ન હોય ત્યારે મારે તેના માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ.

…..કે આપણું પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનું શિખવાડે પણ આપણી પાસે એવા બેચાર મિત્રો તો હોવા જ જોઈએ કે જેમની સાથે ટોળાટપ્પાં કરી શકાય, ઠઠ્ઠામશ્કરી કરી શકાય.

…..કે દરેકેદરેક વ્યક્તિને જિંદગીમાં ઘણી વખત એક સહાનુભૂતિભર્યા સાથ અને લાગણીભર્યા હૃદયની જરૂર પડતી હોય છે, જે તેને સમજી શકે.

…..કે જિંદગી એક ગરગડી પર વીંટાળેલા દોરા જેવી છે. છેડો જેમ નજીક આવે તેમ તેમ વધારે ઝડપથી ભાગવા લાગે !

…..કે આપણને બધું જ નથી આપ્યું એ ભગવાને આપણને આપેલ ઉત્તમ વરદાન છે !

…..કે પૈસો નૈતિકતા નથી ખરીદી શકતો.

……કે રોજિંદા વ્યવહારની નાની નાની ઘટનાઓ જ જિંદગીને સાચું સ્વરૂપ આપતી હોય છે.

…....કે દરેકના બખ્તરિયા કોચલા નીચે એક એવી વ્યક્તિ હોય  છે જે પ્રેમ અને લાગણી ઝંખે છે.

…..કે આપણા ગણવાથી કે ન ગણવાથી પરિસ્થિતિ બદલાઈ નથી જતી, એટલે હકીકતનો સ્વીકાર કરતાં શીખવું.

….કે સમય કરતાં પણ પ્રેમમાં જ દરેક ઘાને રુઝવવાની શક્તિ રહેલી છે.

….કે મારો વિકાસ કરવાનો ઉત્તમ રસ્તો મારાથી વધારે પ્રતિભાશાળી લોકો વચ્ચે રહેવું એ છે.

….કે જેને મળીએ તેને બની શકે તો એક સ્મિત તો ભેટ આપવું જ જોઈએ.

…..કે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી, સિવાય કે જેની સાથે તમે પ્રેમ માં પડો !

…..કે જિંદગી અતિકઠિન છે, પણ હું કાંઈ ઓછો મજબૂત તો નથી જ !

…. કે અમૂલ્ય તક ક્યારેય વ્યર્થ જતી જ નથી. આપણે જો ન ઝડપી લઈએ તો બીજુ કોઈક એ ઝડપી લેવા તૈયાર જ હોય છે.

…..કે તમે જો કટુતા-કડવાશને હૃદયમાં આશરો આપશો તો ખુશાલી બીજે રહેવા જતી રહેશે ! એમને અંદરોઅંદર જરાય બનતું નથી !

….કે બોલેલા શબ્દોને દરેક જણાને નરમ અને મીઠાશભર્યાં જ રાખવા જોઈએ, કારણ કે ન કરે નારાયણ અને કાલે કદાચ એને પોતાને જ એ પાછા ગળવાનો વારો આવે તો તકલીફ ન પડે !

….કે સુંદર મજાનું સ્મિત એ ચહેરાની સુંદરતા વિના મૂલ્યે વધારવાનું એક અદ્દભુત ઔષધ છે.

….કે નાનકડો પૌત્ર કે પૌત્રી જ્યારે દાદા-દાદીની ઘરડી આંગળી પોતાની નાનકડી મુઠ્ઠીમાં પકડે છે ત્યારે હકીકતમાં તો એ દાદા-દાદીને જિંદગી જીવવાનો ટેકો આપે છે. એમને જિંદગી સાથે બાંધે છે.

….. કે દરેક જણને પહાડની ટોચ પર રહેવાની તમન્ના હોય છે. પણ સાચો આનંદ અને વિકાસ ત્યાં સુધી પહોંચવામાં જ હોય છે.

….. કે કોઈને શિખામણ ફક્ત બે જ સંજોગોમાં આપવી જોઈએ : એક, જો સામી વ્યક્તિએ એ માંગી હોય અને બીજું, જો એના જીવનમરણ નો સવાલ હોય.

….. કે અગત્યના કામ માટે સમય જેટલો ઓછો મળે તેટલું કામ વધારે ઝડપથી થઈ શકે છે.

….. કે સારા મિત્રો અદ્દભુત ખજાના જેવા હોય છે. એ લોકો તમારા ચહેરાને સ્મિતની ભેટ આપે છે, તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે, તમારી વાતો (ઘણી વખત તો સાવ ફાલતુ વાતો) પણ ધ્યાનથી તેમજ  રસથી સાંભળે છે, તમારી નિ:સ્વાર્થ પ્રશંસા કરે છે અને એમના હૃદયના દરવાજા હંમેશ હંમેશ તમારા માટે ખુલ્લા રાખે.
Source:Internet

Friday, February 17, 2012

યાદ રાખવા જેવી ત્રણ વાત


આપણે સૌએ યાદ રાખવા જેવી ત્રણ વાત


      હમેશા ત્રણ જણા ને વઁદન કરવા       માતા, પિતા અને ગુરુ
      ત્રણ વસ્તુનુ પ્રદર્શન અનાવશ્યક       અઁગ, ધન અને ભોજન
      ત્રણ વ્યક્તિઓને સદા મદદ કરવી     દીન, હીન અને લાચાર
      ત્રણ વ્યક્તિઓથી ઝઘડો ન કરવો      મૂરખ, શરાબી અને પહેલવાન
      ત્રણનુ સદા સન્માન કરવુ                સજ્જન, સઁત અને જ્ઞાની
      ત્રણ ઉપર સદા દયા કરવી              બાલક,  વૃધ્ધ અને પાગલ
      ત્રણ જણાને કદી કમ ન સમજવા       રોગ, શત્રુ અને પ્રતિદ્વદી
      ત્રણ જણા ક્યારે રોકાતા નથી           વખત, મૃત્યુ અને ઘરાક
      ત્રણ વસ્તુથી બચવુ                        નિંદા, સ્વ પ્રસંસાં અને કુસઁગ
      ત્રણ ઈઁન્દ્રિયોને વશમા રાખવી           મન, બુદ્ધિ અને જીભ
      ત્રણ વસ્તુઓને હઁમેશા વધારો           ચરિત્ર,  ગૌરવ અને જ્ઞાન
      ત્રણ ગુણનો સદા આગ્રહ રાખો          સત્ય, અહિઁસા અને ઈમાનદારી
      ત્રણ દુર્ગુણોથી દૂર ભાગો                 ઈર્ષ્યા, ઘૃણા અને અપમાન
      ત્રણ ભાવનાઓને વશમા રાખવી       કામ, ક્રોધ અને સ્વાર્થ
      ત્રણ વસ્તુઓ કદી ખોશો નહી            આશા, ઉત્સાહ અને વિશ્વાસ
      ત્રણ વાતોથી સઁબઁધ ગાઢ થાય છે      મિત્રતા, પ્રેમ અને સનમાન
      ત્રણ ચીજો કદી ન ભુલવી                દેવુ, કર્તવ્ય અને ઉપકાર  

સોર્સ: ઇન્ટરનેટ